Chanakya Niti : ચાણક્ય નીતિ અનુસાર આ વ્યક્તિનું મૌન હોય છે સૌથી ઘાતક
આચાર્ય ચાણક્ય ભારતીય ઇતિહાસના મહાન વ્યક્તિત્વો માંથી એક છે. તેણે ભારતીય રાજનીતિ અને શાસ્ત્રીય વિચારધારાના પ્રણેતા માનવામાં આવે છે. ચાણક્યનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું. તે ભારતીય ઇતિહાસમાં તેની વિચારધારા, નીતિશાસ્ત્ર અને રાજનિતિક કૂટનીતિ માટે પ્રસિદ્ધ છે. તે મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી અને ગુરુ હતા. ચાણક્યને ચંદ્રગુપ્ત મૌર્યને ભારતના સમ્રાટ બનાવવામાં અને મૌર્યવંશની સ્થાપના કરવામાં મદદ કરી હતી. તેનો જન્મ ઇ.સ પૂર્વ 400 માં થયો હોવાનું માનવામાં આવે છે. જેને તેના જ્ઞાનના આધારે ઘણી બધી નીતિઓની રચના કરી હતી. કૌટલ્ય એટેલે કે વિષ્ણુગુપ્તના માર્ગદર્શન પ્રમાણે ચાલનાર વ્યક્તિ વફાદાર અને ઈમાનદાર બને છે. ચાણક્યના ઉપદેશોને ‘ચાણક્ય નીતિ’ કહેવામા આવે છે. જેમાં તેણે રાજનીતિ, વ્યવસાય, ધર્મ, સમાજ અને વ્યક્તિગત વિકાસના સિદ્ધાંતો વિશે વાત કરી છે. ચાલો આજના આ લેખમાં ચાણક્ય નીતિની અમુક વાતો વિશે જાણીએ.
મૌન હોય છે ઘાતક
ચાણક્ય નીતિ અનુસાર, જૂઠ વ્યક્તિઓની અવાજ હંમેશા સાચા વ્યક્તિને ચૂપ કરાવી દે છે. પરંતુ સાચા વ્યક્તિનું મૌન જૂઠ વ્યક્તિને મૂળમાંથી હલાવી દે છે. મૌન એક એવું સાધન છે કે જેનાથી તમામ વસ્તુ બદલી શકાય છે. કોઈપણ પણ બૂમ-બરાડા વગર સંપૂર્ણ કાયનાત બદલી શકાય છે. એટલા માટે ક્યારે પણ ખોટું ના બોલો હંમેશા સત્યના રસ્તે ચાલો.
સત્યનો રસ્તો અપનાવો
આચાર્ય ચાણક્યના કહ્યા મુજબ, ખોટો વ્યક્તિ હંમેશા મીઠી મીઠી વાતો કરે છે. જ્યારે સાચો વ્યક્તિ સીધી અને કઠોર વાત કરતો હોય છે. તેવોનું માનવું છે કે સત્ય ક્યારેક ક્યારેક કઠોર હોય શકે છે, પરંતુ તેમાં શક્તિ હોય છે. ચાણક્યના અનુસાર સત્યનું પાલન કરનારથી જ સમાજમાં સમૃદ્ધિ અને સુશાસન શક્ય છે. એટલા માટે હંમેશા સત્યના માર્ગે ચાલો.
શંકાનો કોઈ ઈલાજ નથી
આચાર્ય ચાણક્ય કહે છે કે શંકા એક એવી બીમારી છે કે જે જીવન બરબાદ કરી શકે છે. તે વિશ્વાસની શક્તિને કમજોર કરી શકે છે. ચાણક્યનું માનવું છે કે સકારાત્મક અને અનિર્ણિત વિશ્વાસ જ મનને મજબૂત બનાવી શકે છે. એટલા માટે તેવોનું કહેવું છે કે શંકાનો કોઈ ઉપાય છે નહીં.
ચરિત્રનું કોઈ પ્રમાણ નહીં
આચાર્ય ચાણક્યની અનુસાર, વ્યક્તિનું ચરિત્ર તેના કર્મો અને આચરણથી પ્રમાણિત થાય છે. સારા કર્મ નેક આચરણ એક વ્યક્તિના સારા ચરિત્રને બનાવે છે.
મૌન થી સારું કોઈ સાધન નહિ
આચાર્ય ચાણક્ય કહે છે કે શારીરિક અને અધ્યાત્મિક ઉન્નતિ માટે માણસને મૌન રહેવું જરૂરી છે. એટલા માટે મૌનને એક મહત્વપૂર્ણ સાધન માનવમાં આવે છે. મૌનના માધ્યમ થી વ્યક્તિ તેના આત્મજ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. એટલા માટે હંમેશા મગજને શાંત રાખો, જેથી તમે સરળતાથી તમામ કામ કરી શકશો.
શબ્દ થી ઘાતક કોઈ બાણ નહીં
ચાણક્ય નીતિ અનુસાર, શબ્દો ની શક્તિ સૌથી વધુ હોય છે. જેના માધ્યમથી વ્યક્તિ તેના વિચારો અને ભાવનાઓને વ્યક્ત કરી શકે છે. એટલા માટે કોઈપણ વાત કરતી વખતે શબ્દોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો આવશ્યક છે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ