શું તમને ખબર છે કે તમારા ATM કાર્ડ પર 10 લાખ સુધીનું ફી વીમા કવર મળે છે?, ક્લેમ કરવા માટે આ સ્ટેપને અનુસરો
કોઈપણ બેન્ક ATM કાર્ડનો ઉપયોગ કર્યાના 45 દિવસ કે તેથી વધુ થઈ ગયા છે તો તમે ATM ઇન્શ્યોરન્સની સુવિધા મેળવવા માટે પાત્ર છવો. જેમાં અકસ્માત વીમો અને જીવન વીમો બંને શામિલ હોય છે.
ATM Card Free Insurance : તમામ બેન્ક એકાઉન્ડ ધારકો પાસે ડેબિટ કાર્ડ હોય છે. ડેબિટ કાર્ડને આપણે એટીએમ તરીકે ઓળખીએ છીએ કેમ કે તેનો ઉપયોગ ATM માંથી પૈસા ઉપાડવા માટે આપણે કરતાં હોઈએ છીએ. ATM કાર્ડનો ઉપયોગ આપણે ઓનલાઇન પેમેન્ટ અને ખરીદી માટે પણ કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે બેન્ક તરફથી મળતા આ ATM કાર્ડ પર તમને 10 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો મળે છે? આ વીમા કવરની રકમ બેન્ક એટીએમ ફેસેલિટી મુજબ બદલતી રહે છે. ચાલો આપણે જાણીએ કે બેન્ક ATM પર કયા પ્રકારનું વીમા કવર મળે છે અને તેને ક્લેમ કેવી રીતે કરી શકાય છે.
ATM કાર્ડ પર ફ્રી વીમાની રકમ
કોઈપણ બેન્ક ATM નો ઉપયોગ કર્યાને 45 દિવસ કે વધુ થઈ ગયો છે તો તમે આ ફ્રી વીમા કવરની સુવિધા મેળવવા માટે પાત્ર છવો. આમાં અકસ્માત વીમો અને જીવન વીમો એમ બંને શામિલ છે. આપેલ બંને સ્થિતિમાં તમે વીમો ક્લેમ કરી શકો છો. આ વીમાની રકમ કાર્ડની કેટેગરી મુજબ નક્કી કરવામાં આવે છે. SBI અને GOLD એટીએમ કાર્ડ હોલ્ડરને 4 લાખ (death on air), 2 લાખ (non-air) નું કવર મળે છે. જ્યારે Premium કાર્ડ ધારકને 10 લાખ (death on air), 5 લાખ (non-air) નું કવર મળે છે. HDFC, ICICI, Kotak Mahindra, IDBI સહિતની તમામ બેન્કના ડેબિટ કાર્ડ પર અલગ અલગ રકમ વીમા સ્વરૂપે આપવામાં આવે છે.
ડેબિટ કાર્ડ પર ફ્રી વીમો લેવા માટેની પ્રક્રિયા
બેન્ક ડેબિટ કાર્ડ પર ફ્રી વીમો ક્લેમ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આના માટે તમારે સૌપ્રથમ એકાઉન્ટ હોલ્ડર નૉમિની (વારસદાર)નું નામ ઉમેરવાનું રહેશે. ત્યારબાદ હોસ્પિટલની સારવારનો ખર્ચ, એક પ્રમાણપત્ર, પોલીસ FIR કોપી ની સાથે તમે વીમો ક્લેમ કરી શકો છો. અને જો બેન્ક ખાતા ધારાકનું મૃત્યુ થઈ જાય છે તો તેવી સ્થિતિમાં જે વ્યક્તિનું નામ વારસદાર તરીકે નાખ્યું છે તે વ્યક્તિ બેન્ક ખાતાધારકના મૃત્યુનું પ્રમાણપત્ર જમા કરાવી શકે છે. અને વીમો ક્લેમ કરી શકે છે. તમે ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે વીમો ક્લેમ કરી શકો છો. ઓફલાઇન કરવા માટે તમે તમારી બેન્કમાં જઈ ફોર્મ મેળવી તેને ધ્યાનપૂર્વ ભરી જરૂરી પુરાવા જોડી જમા કરવાનું રહેશે. પછી બેન્ક દ્વારા પ્રોસેસ શરૂ થશે. તમારે દુર્ઘટના થયાના 60 દિવસની અંદર ક્લેમ ફાઇલ કરવાની રહેશે.
ક્લેમની જાણકારી આપ્યા પછી વીમા કંપની મામલાની તપાસ કરવા માટે એક તપાસ અધિકારીની નિયુક્તિ કરશે અને 30 દિવસની અંદર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ડૉક્યુમેન્ટનો વેરિફિકેશન થયા પછી ક્લેમની રકમ 10 દિવસની અંદર NIFT ના માધ્યમથી તમારા ખાતામાં જમા થઈ જશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ